તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કચ્છના સાગર કિનારે ફરી ત્રણ કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર કિનારે એકસાથે ત્રણ જેટલી મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યા હોવાના સમાચાર મળ્યાં છે. આ સમગ્ર મામલે જાણ થતા કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસમાં શરૂ કરી દીધી છે.

છેલ્લા એક સપ્તાહમાં પશ્ચિમ કચ્છના સાગર કિનારે તણાઈને આવેલા મહાકાય સાત કન્ટેનર ટેન્ક હજુ રફ બનેલા દરિયાઈ પાણીમાં જ તરી રહ્યા છે. કારણ કે, અહીં મોટી ક્રેન જેવી હેવી મશીનરી પહોંચી શકે તેમ ન હોવાથી જેને કાંઠા પર લાવવા માટે સુરક્ષા એજન્સીઓ મથામણ કરી રહી છે. અલબત્ત આ કન્ટેનરોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાવામાં આવ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો, અરબી સમુદ્ર આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજોનો ઓમાન, દુબઈ અને ગલ્ફ દેશો અને ખાડી દેશોને જોડતો જળમાર્ગ હોવાથી અહીં મોટી માત્રામાં જહાજોની આવનજાવન રહેતી હોય છે. ગત જૂન મહિનામાં ઓમાન પાસે એક જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી, શક્ય છે કે એ જહાજના કંટેનરો ભારતીય જળસીમામાં તણાઈ આવતા હોય તેવું શક્ય હોઈ શકે છે! આવું કોઠારા પોલીસનું કહેવું છે. જો કે, આ મામલે ચોક્કસ માહિતી પ્રકાશમાં નથી આવી. કારણ કે, કન્ટેનરની તપાસ કરવામાં આવી રહી છે.