કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે જયજીતની સ્થિતિ નાજુક છે. આ ઘટના નિત્યાનંદ રાયના બનેવી નવગછિયાના જગતપુર રહેવાસી ગુલ્લો યાદવના ઘરે ગુરુવારે સવારે થઈ. મળતી માહિતી મુજબ, બંનેએ સામાન્ય વિવાદમાં એકબીજા પર ગોળી ચલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સવારે સાડા છ વાગે જયજીતને પાણી આપનાર નોકરે પાણી વાળા વાસણમાં હથેળી ડુબોડીને પાણી આપ્યુ હતુ, જેને લઈને વિકલ સાથે બોલાચાલી થવા લાગી.

જોકે આમાં શ્વાસ ચાલતો હોવાની આશામાં પરિવારજનોએ અફરાતરફીમાં તેને પણ નવગછિયા હોસ્પિટલ પહોંચાડાયો, જ્યાં ડોક્ટરોએ તેને જોઈને મૃત જાહેર કરી દીધો. જયજીતની હાલત પણ વધુ લોહી નીકળી જવાના કારણે નાજુક છે. તેને શ્રેષ્ઠ સારવાર માટે ડોક્ટરોએ બહાર લઈ જવા માટે કહ્યું છે, જેના કવાયત શરૂ કરી દેવાઈ છે. ઘટનાની જાણકારી પર રેન્જ આઈજી વિવેક કુમારે નવગછિયા એસપીને સ્થિતિની જાણકારી લઈને તમામ સુરક્ષાત્મક ઉપાય કરવા માટે કહ્યું છે. નવગછિયા પરબત્તા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમ એફએસએલ ટીમને માહિતી આપીને ઘટના સ્થળની સ્ટાઈલ અને વીડિયોગ્રાફી કરાવવામાં આવી. આ સાથે જ ઈલેક્ટ્રોનિક પુરાવા એકઠા કરીને શરૂઆત કરી દીધી છે.



