Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન, હૃતિક રોશન, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડના વિજ્ઞાપન માટે નોટિસ અપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન, હૃતિક રોશન તથા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડના વિજ્ઞાપન માટે નોટિસ અપાઈ છે આ સ્ટાર્સને નોટિસમાં જણાવાયું છે કે  સલમાન, ઋતિક, શાહરૂખ, અક્ષય, અજય અને ટાઇગર શ્રોફે પાન મસાલાની વિજ્ઞાપન માટે જે કરાર કર્યા છે તેને 15 દિવસમાં અંત લાવવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો હાલ લખનઉ હાઈકોર્ટમાં આ અંગે ચાલી રહેલા એક કેસમાં તેમનાં નામ પણ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવશે.

સ્ટાર્સ ઉપરાંત અમુક ક્રિકેટર્સોને પણ આ મામલામાં લીગલ નોટીસ મળી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરૂખ ખાનને અગાઉ પણ એક નોટિસ પાઠવવામાં આવી હતી જેની સુનાવણી 9મી મે, 2024ના રોજ થવાની છે. અક્ષય કુમાર આ અગાઉ જ પાન મસાલાની એડ કરવા બદલ જાહેર માફી માગી ચૂક્યો છે.