મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી, ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના આ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી આવી હતી જેની ગણતરી કરવામાં 14 કલાકનો સમય લાગ્યો હતો.
આઈટી વિભાગની આ કાર્યવાહી લગભગ 72 કલાક સુધી ચાલુ રહી હતી. દરોડામાં વિભાગને ભંડારી પરિવાર પાસેથી 170 કરોડ રૂપિયાની બિન હિસાબી સંપત્તિ મળી આવી છે. આ સિવાય 8 કિલો સોનું મળી આવ્યું છે. આવકવેરા વિભાગે 170 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ શોધી કાઢી છે જે જપ્ત કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલી 14 કરોડની રોકડની ગણતરી કરવામાં અધિકારીઓને લગભગ 14 કલાક લાગ્યા હતા. આ કાર્યવાહીથી ફાયનાન્સ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભંડારી પરિવારના વિનય ભંડારી, સંજય ભંડારી, આશિષ ભંડારી, સંતોષ ભંડારી, મહાવીર ભંડારી અને પદમ ભંડારી નાંદેડમાં ખાનગી ફાઇનાન્સનો મોટો બિઝનેસ ધરાવે છે. અહીં આવકવેરા વિભાગને કરચોરીની ફરિયાદ મળી હતી. જેના કારણે છ જિલ્લા પુણે, નાશિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડનાઆવકવેરા વિભાગના સેંકડો અધિકારીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. શુક્રવારે 10 મેના રોજ ટીમેનાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા.
આવકવેરા અધિકારીઓ સાથે મળીને નાંદેડ જિલ્લામાં પ્રથમ વખત આવી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ દરમિયાન તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. 72 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં આવકવેરા વિભાગે રૂ.170 કરોડની બિનહિસાબી સંપત્તિ રિકવર કરી છે. વિભાગને 8 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. હાલ ઈન્કમટેક્સ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
આઈટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 100 અધિકારીઓની ટીમ 25 વાહનોમાંનાં દેડ પહોંચી હતી. ટીમેઅલીભાઈ ટાવરમાં આવેલી ભંડારી ફાયનાન્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ, કોઠારી કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ, કોકાટે કોમ્પ્લેક્સમાં આવેલી ત્રણ ઓફિસ અને આદિનાથ અર્બનમલ્ટીસ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત પારસનગર, મહાવીર સોસાયટી, ફરંદે નગર અને કાબરા નગરમાં આવેલા આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.




