Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ કર્યા વડાપ્રધાન મોદીના વખાણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિ, બિઝનેસમેન સાજિદ તરારે એક મીડિયા સાથેના ઇન્ટરવિયુમાં ખૂબ વખાણ કર્યા હતા અને મોદીને મજબૂત નેતા પણગણાવ્યા હતા. પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિ બિઝનેસમેન સાજિદ તરારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાત કરતાં કહ્યું કે, મોદી એક અદ્ભુત નેતા છે. તે જન્મજાત નેતા છે. તેઓ એવા વડાપ્રધાન છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મને આશા છે કે, તે પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે. શાંતિપૂર્ણ પાકિસ્તાન ભારત માટે પણ સારું છે. એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યું, બધે લખેલું છે કે મોદી ભારતના આગામી વડાપ્રધાન હશે. તેમણે કહ્યું કે, ભારત એક યુવા દેશ છે અને તે તેની યુવા વસ્તી વિષયક સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે.

સાથે જ સાજિદ તરારે પીઓકેના લોકોને આર્થિક મદદ કરવાના પાકિસ્તાની વડાપ્રધાનના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, આના માટે પૈસા ક્યાંથી આવશે? પાકિસ્તાન આઈએમએફસાથે નવા સહાય પેકેજ પર ચર્ચા કરી રહ્યું છે. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અફસોસની વાત એ છે કે, પાયાના સ્તરના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી. નિકાસ કેવી રીતે વધારવી? આતંકવાદને કેવી રીતે નિયંત્રિત કરવો અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારવી. હાલમાં પીઓકેની જેમ સમગ્ર પાકિસ્તાનમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતા છે. અમે એવું નેતૃત્વ મેળવવા માંગીએ છીએ જે અમને આ તમામ મુદ્દાઓથી દૂર આગળના સ્તર પર લઈ જઈ શકે.

સાજીદ તરાર 1990ના દાયકામાં અમેરિકા ગયા હતા. પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેના ઘણા સારા સંબંધો છે. સાજિદતરારે કહ્યું, આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને 2024માં ભારતનો ઉદય આશ્ચર્યજનક છે. આ કહેવા જેવી વાર્તા છે. તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે. આ સાથે એક પ્રશ્નના જવાબમાં સાજિદ તરારે કહ્યું કે, પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) સહિત દેશના ઘણા ભાગોમાં સામાજિક અશાંતિ જોવા મળી રહી છે. તેમણે કહ્યું, પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઊંચા છે. IMF ટેક્સ વધારવા માંગે છે. વીજળીના ભાવમાં વધારો થયો છે. અમે નિકાસ કરી શકતા નથી. Pokમાં વિરોધ મુખ્યત્વે વીજળીના બિલમાં વધારાને કારણે છે.