Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ ત્રણ દેશની યાત્રા રદ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ દેશની મુલાકાત હાલ મોકૂફ કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વે, ક્રોએશિયા અને નેધરલેન્ડની યાત્રા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ ત્રણ યુરોપિયન દેશોમાં તેઓ અનેક દ્વિપક્ષીય વાર્તા અને બેઠકોમાં ભાગ લેવાના હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લઈને મહત્ત્વના સમયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેના જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો, ત્યારે વડા પ્રધાન મોદી સતત આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ હુમલામાં ભારતીય થળસેના, નૌસેના અને વાયુસેનાની ત્રણ સેનાઓની સટીક હુમલો કરનારી હથિયાર પ્રણાલીનો ઉપયોગ કરાયો હતો. ભારત દ્વારા તમામ 9 ઠેકાણા પર સ્ટ્રાઇક સટીક અને સફળ રહી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!