Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જૂનાગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જૂનાગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો છે, ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો હોવાની વાત સામે આવી છે, વરસાદના સમયે અને શિયાળાના સમય દરમિયાન જયારે ભારે પવન ફૂંકાતો હોય છે ત્યારે રોપ-વે સેવા બંધ કરવામાં આવે છે, વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપ-વે સેવા ફરી કરાશે શરૂ અને રોપ-વે સેવા બંધ થતા અનેક પ્રવાસીઓને પડી રહી છે મુશ્કેલી.

વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. સાથે ગિરનારના જંગલમાં પણ છેલ્લા ચાર દિવસથી પવની ઝડપ વધી રહી છે જેના કારણે રોપ-વેનું સંચાલન બંધ કરાયું છે. ઉષાબ્રેકો કંપની સંચાલિત રોપ- વેના જૂનાગઢના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંઘ બેદીએ જણાવ્યું હતું કે,ભારે પવન ફૂંકાવાના કારણે હાલમાં રોપ-વેની સેવા બંધ રહી છે, જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!