Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યાના 30 કલાકમાં જ પોલીસ કમિશ્નરને તેમના સ્થાન પરથી હટાવવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે માત્ર 20 દિવસ ફરજ બજાવનાર SBK Singh પાસેથી સત્તા લઇ લેવામાં આવી છે. અને તેમના સ્થાને હવે Satish Golchaની નિયુક્તિ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યાના 30 કલાકમાં જ SBK Singhને તેમના સ્થાન પરથી હટાવવામાં આવ્યા છે.

ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી સતીશ ગોલચાને નવા પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, એસબીકે સિંહને પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ફક્ત 20 દિવસ માટે કમિશનર પદ સંભાળી શક્યા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના 30 કલાકની અંદર તેમને દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં દિલ્હીના ડિરેક્ટર જનરલ તરીકે તૈનાત આઇપીએસ સતીશ ગોલચાને ચાર્જ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1992 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે. આ પહેલા 31 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી એસબીકે સિંહને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. એસબીકે સિંહ 1988 બેચના અધિકારી છે અને તેમને 1 ઓગસ્ટથી દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

એસબીકે સિંહને 31 જુલાઈના રોજ નિવૃત્ત થયેલા સંજય અરોરાના સ્થાને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એસબીકે સિંહ પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સંભાળતી વખતે દિલ્હીમાં હોમગાર્ડ્સના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. અગાઉ 1988 બેચના તમિલનાડુ કેડરના આઈપીએસ સંજય અરોરાને 1 ઓગસ્ટ 2022ના રોજ રાકેશ અસ્થાનાના સ્થાને દિલ્હી પોલીસના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!