બાળાત્કાર કેસમાં દોષિત ધર્મગુરુ આસારામ હાલ વચગાળાના જામીન પર જેલની બહાર છે. સોમવારે હાઈકોર્ટે જામીન સમયગાળા દરમિયાન આસારામને 24 કલાક સુરક્ષા હેઠળ રાખવાની શરત દુર કરી હતી.
સ્વાસ્થ્યના કારણોસર ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આસારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતાં. જામીનની શરતોમાં આસારામની આસપાસ ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની હાજરીનો ઉલ્લેખ કરવામાં હતો. કામચલાઉ જામીન આપતી વખતે હાઈ કોર્ટે કેટલીક શરતો લાદી હતી, જેમાં તેમના અનુયાયીઓને મળવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણ પોલીસ અધિકારીઓ તેની આસપાસ રહેવા જોઈએ, પરંતુ તેઓ આસારામની તબીબી સારવાર અથવા કોઈપણ વ્યક્તિ સાથેની મુલાકાતોમાં દખલ ન નહીં કરે.
હાઈ કોર્ટે મુકેલી આ શરત સામે આસારામે અરજી કરી હતી અને સુરક્ષા દૂર કરવા માંગ કરી હતી. સોમવારે હાઈકોર્ટે આ શરત રદ કરવાનો આદેશ આપ્યો હતો, પણ આસારામને અન્ય જામીન શરતોનું કાળજીપૂર્વક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.વર્ષ 2013 માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામની એક ભૂતપૂર્વ શિષ્યાએ દ્વારા તેમના વિરુદ્ધ બળાત્કારના આરોપ સાથે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં દોષિત ઠર્યા બાદ આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને જોધપુર જેલમાં કેદ કરવામાં આવ્યો છે.



