તાજા સમાચાર
નિઝર ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં કર્મચારીઓને ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શિત કરાયાં | Road Accident : કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગાંભીર ઈજાને કારણે મોત નીપજ્યું | Police Investigation : યુવકે પથ્થરના બ્લોક વડે યુવતી પર હુમલો કર્યો, ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળ પર મોત | Crime : અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી | જીએસટી સુધારા પછી આર્થિક પ્રવૃત્તિમાં વધારો, જેના કારણે કંપનીઓને વધુ કાર્યકારી મૂડીની જરૂર પડી | અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, આ રીપોર્ટ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ૩ અઠવાડિયાનો સમય |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
નિઝર ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં કર્મચારીઓને ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શિત કરાયાં | Road Accident : કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગાંભીર ઈજાને કારણે મોત નીપજ્યું | Police Investigation : યુવકે પથ્થરના બ્લોક વડે યુવતી પર હુમલો કર્યો, ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળ પર મોત | Crime : અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી | જીએસટી સુધારા પછી આર્થિક પ્રવૃત્તિમાં વધારો, જેના કારણે કંપનીઓને વધુ કાર્યકારી મૂડીની જરૂર પડી | અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, આ રીપોર્ટ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ૩ અઠવાડિયાનો સમય |

Road Accident : કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગાંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લાનાં બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા સંતોકપુરા ગામ નજીક પુરઝડપે પસાર થઈ રહેલી એક કારના ચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકાના પાળજ ગામના મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા સાંજના સુમારે પોતાનું બાઈક લઈને બોરસદથી પાળજ ગામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા સંતોકપુરા ગામ નજીકના ખોડીયાર માતાના મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતા.

ત્યારે પેટલાદ તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર મહેન્દ્રભાઈ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા જાણ કરાતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈ વાઘેલાને ૧૦૮ મારફતે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બનાવ અંગે ભાવેશભાઈ મહેન્દ્રભાઈ વાઘેલાએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!