આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિએ માંડવી એસ.ટી ડેપો ખાતેથી માંડવીથી મઢી-અમદાવાદ-ગાંધીનગર રૂટની નવી ૩ એસ.ટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કુલ ૫૬ મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી બસો દૈનિક ધોરણે કાર્યરત છે. જેમાં માંડવીથી અમદાવાદ અને ગાંધીનગર તેમજ મઢી સુધી જતી બસો વાયા માંગરોળ, વાલિયા, અંકલેશ્વર, વડોદરા, બારડોલી, અંકલેશ્વર gidc, ભરૂચ અને વડોદરા થઈને ચાલે છે, જેથી ગંતવ્ય સ્થાન સુધી જનારા મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે અને આરામદાયક મુસાફરીનો અનુભવ થશે.




