તાજા સમાચાર
નકલી અને નશાકારક દવાઓ સામે ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યભરમાં દરોડા, કરોડોનો જથ્થો જપ્ત | ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈ સોનું ખરીદવા આવવું ભારે પડ્યું: ભુજમાં વેપારીને ‘મોટા સાહેબ’ બનીને લૂંટતી ટોળકી | ઉનાળામાં સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: શેરડીનો રસ અને આઈસ ગોલાના 1700થી વધુ નમૂનાઓની ચકાસણી. | સુરતના રત્નકલાકારો માટે AI તક લાવશે: નોકરીઓ નહીં જાય, પણ સ્કીલ અપગ્રેડ કરવી પડશે | સાંસ્કૃતિક ગૌરવ: વરલી પેઇન્ટિંગ અને આદિવાસી સંસ્કૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર,પ્રવાસન માટે માસ્ટર પ્લાન તૈયાર | ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
નકલી અને નશાકારક દવાઓ સામે ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યભરમાં દરોડા, કરોડોનો જથ્થો જપ્ત | ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈ સોનું ખરીદવા આવવું ભારે પડ્યું: ભુજમાં વેપારીને ‘મોટા સાહેબ’ બનીને લૂંટતી ટોળકી | ઉનાળામાં સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: શેરડીનો રસ અને આઈસ ગોલાના 1700થી વધુ નમૂનાઓની ચકાસણી. | સુરતના રત્નકલાકારો માટે AI તક લાવશે: નોકરીઓ નહીં જાય, પણ સ્કીલ અપગ્રેડ કરવી પડશે | સાંસ્કૃતિક ગૌરવ: વરલી પેઇન્ટિંગ અને આદિવાસી સંસ્કૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર,પ્રવાસન માટે માસ્ટર પ્લાન તૈયાર | ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો |

લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થોડા સમયમાં થવાની છે, આ પહેલા જ ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. પંચે ભડકાઉ ભાષણ અને તથ્યો વગરના નિવેદનો ના આપવાનો કડક નિર્દેશ આપ્યો છે. પંચે કહ્યું છે કે પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધાર પર મત ના મગાવવા જોઈએ. પંચે કહ્યું કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા કે કોઈ અન્ય ધાર્મિક સ્થળને લઈ નિવેદન આપવાથી બચવું જોઈએ. જો કોઈ આનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની મોટી ભૂમિકા હોય છે. ઘણી વખત સ્ટાર પ્રચારકોથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ જાય છે પણ આ વખતે ઉલ્લંઘન કરવા પર તમામ સ્ટાર પ્રચારકોની મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલાથી જ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાની નોટિસ મળી ચૂકી છે, બીજી વખત આવુ કરવા પર તે તમામની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પંચ તરફથી આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેત્તરમાં જ રાજકીય પાર્ટીને નૈતિક અને સન્માનજનક રાજનીતિને પ્રોત્સાહન આપવું જોઈએ. પંચની આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિ તરફ પ્રેરિત કરે છે. પંચે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને અભિયાન દ્વારા રોકવા માટે પાયો તૈયાર કરી રહ્યા છે. પંચે પાર્ટીઓને સાર્વજનિક શિષ્ટાચાર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તે લોકો પર લોકો પર વધારાની જવાબદારી નાખવા સૂચના આપી, જેને પહેલા નોટિસ મળી ચૂકી છે. આ એડવાઈઝરીમાં સોશિયલ મીડિયાની ગતિવિધિઓને પણ સામેલ કરવામાં આવી છે. વિપક્ષીઓને બદનામ કરવા કે અપમાન કરનારી પોસ્ટને શેયર ના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.