અમિતભાઈ શાહ સાહેબના પ્રચાર અર્થે ઘાટલોડીયા મતક્ષેત્રના બોડકદેવ વિસ્તારમાં વૃંદાવન આવાસ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ભારતમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સલામતીનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે અને ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધ્યું છે, ત્યારે સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને મત આપી માનનીય અમિતભાઈને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે તેવું આહવાન કર્યું.
ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત તેમને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી, તેમજ સ્થાનિક લાભાર્થીઓને મળેલ યોજનાઓના લાભો અંગે જાણકારી મેળવી.




