Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર: શિક્ષક દિન નિમિત્તે આયોજિત ‘રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬’ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૪૦ ઉત્કૃષ્ટ શિક્ષકોને પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને ભૌતિક જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, સંસ્કાર અને માનવતાનું સિંચન પણ જરૂરી છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકને માત્ર વ્યવસાય નહીં, પરંતુ ‘રાષ્ટ્રધર્મ’ ગણાવી શિક્ષણની પરંપરાગત વિરાસત અને અદ્યતન ટેકનોલોજીના સમન્વય પર ભાર મૂક્યો હતો.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર ભણાવતો નથી, પરંતુ આવનારી પેઢીને પ્રેરણા અને સંસ્કાર પણ આપે છે. સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, એવોર્ડી શિક્ષકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.