જિલ્લા એસઓજી પોલસી સ્ટાફ દ્વારા તા.૩૦મી ઓગસ્ટ નારોજ ઉચ્છલ-નિઝર રોડ ઉપર આવેલ રામનગર એપાર્ટમેંટ સોસાયટીમા એક દુકાનમાં જુબેરભાઈ યુસુફભાઇ શેખ (ઉ.વ.૨૬ રહે.નવાપુર, ભગતવાડી, તા.નવાપુર જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાની પૂછપરછ હાથ ધરતા દુકાન બે વર્ષથી ભાડેથી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનના માલીક દિપચંદભાઇ પ્રેમલાલભાઇ જૈસવાલ રહે.નવાપુર, સ્ટેટ બેંકની પાછળ, તા.નવાપુર જી. નંદુરબાર, મહારાષ્ટ્ર નાઓ છે. અને તેઓને સદર દુકાનનુ માસીક રૂપિયા ૬,૦૦૦/- ભાડુ આપે છે. અને તેઓએ આ દુકાન ભાડે રાખેલ તે વખતે દુકાન માલીકે કોઇ ભાડા કરાર કરેલ નથી અને આઇ.ડી. પ્રુફ કે ફોટા માગેલ નથી અને તેઓએ દુકાન ભાડે આપ્યાની નજીકના પોલીસ સ્ટેશનમા પણ જાણ કરી નહતી,જિલ્લા એસઓજીએ આ મામલે દુકાન માલિક દિપચંદભાઇ જૈસવાલ વિરુધ્ધ મે.કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજા સમાચાર
દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે
|
ઉત્તરપ્રદેશનું ઈટાવા ૪૮ ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું
|
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ગરબડ થતાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ
|
ગોંડલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં બે મહિલાનાં ઘટના સ્થળ પર મોત, પાંચ જણાની હાલત ગંભીર
|
ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે
|
કાર્યક્ષમતા વધારવા અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2013માં સુધારો કર્યો
|


