તાજા સમાચાર
હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી | ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય : આગામી 21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ | ગોંડલનાં ઘોઘાવદર રોડ પર આવેલ ધારેશ્વર ચોકડી નજીક ગંભીર અકસ્માત : એકનું મોત, ત્રણની હાલત ગંભીર | વાહન ચેકિંગમાં પોલીસને કારનાં છૂપાખાનામાંથી ૯ કરોડના દાગીના મળ્યા, પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધ્યો | Meta કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી 10 ટકા કર્મચારીઓને હટાવશે | માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપનીનું સ્થાન નથી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી | ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય : આગામી 21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ | ગોંડલનાં ઘોઘાવદર રોડ પર આવેલ ધારેશ્વર ચોકડી નજીક ગંભીર અકસ્માત : એકનું મોત, ત્રણની હાલત ગંભીર | વાહન ચેકિંગમાં પોલીસને કારનાં છૂપાખાનામાંથી ૯ કરોડના દાગીના મળ્યા, પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધ્યો | Meta કંપની પોતાની કુલ કર્મચારી સંખ્યામાંથી 10 ટકા કર્મચારીઓને હટાવશે | માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપનીનું સ્થાન નથી |

હવામાન વિભાગની આગાહી : આગામી બે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આગાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર નોંધાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ સાત દિવસના સત્તાવાર બુલેટિન મુજબ, આગામી 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે.

જોકે, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ વરસાદી માહોલ માત્ર ગણતરીના જિલ્લા પૂરતો જ સીમિત રહેશે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ભેજ વધવાને કારણે આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, તાપી અને ડાંગ તથા દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 22 મેથી વાતાવરણ પલટાશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અમરેલી અને ગીર સોમનાથમાં 22 મેથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ભાવનગર જિલ્લામાં 23 મે’ના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.