કામરેજના પરબ ગામની સીમમાં આવેલી કંપનીના રૂમમાં ૨૪ વર્ષીય પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 
મળતી માહિતી અનુસાર હાલ કામરેજના પરબ ગામે ઓમ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૦૨ પ્લોટ નં-૧થી ૪ શુભમ ઈન્ડસ્ટ્રીઝની રૂમમાં રહેતો મૂળ બિહારના બાલ્કા જિલ્લાના બીલ્લીકીટા ગામનો ૨૪ વર્ષીય બ્રિજેશકુમાર શંકરભાઈ બગબચે પોતાના રૂમમાં પંખા સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કામરેજ પોલીસને યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી હતી.



