Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નડિયાદનાં પીપલગ ગામે મહિલાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડાનાં નડિયાદ તાલુકાનાં પીપલગ ગામની મહિલાએ માનસિક બીમારીથી કંટાળી પોતાની જાતે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગી ગઈ હતી. આ મહિલાનું આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકાનાં પીપલગ ગામમાં ખ્રિસ્તી ફળિયામાં રાકેશભાઈ વિનુભાઈ પરમાર, પત્ની ભારતીબેન તેમજ ૧૪ વર્ષના દીકરા સાથે રહે છે. તેમની પત્ની ભારતીબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતી હોવાથી સારવાર ચાલી રહી હતી. બીમારીથી છુટકારો ન મળતા કંટાળી ગયેલા ભારતીબેનએ સવારે પોતાના ઘરે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપતા ભડ ભડ સળગી ઉઠતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેથી ભારતીબેનનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાકેશભાઈ વિનુભાઈ પરમારે જાણ કરતા નડિયાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!