પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જીપ પાકગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. મળતી માહિતી, મુજબ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માંચી જવાના રસ્તા પાસે જીપ પાકગ પાસે અમદાવાદ પૂર્વ પાસિંગની ઇનોવા કાર પાર્ક કરેલી હતી. સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેસેલા જણાયા હતા. 
પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગાડીમાં બેસેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલન ચલન જણાઇ ન હતી જેથી વધારે શંકા જતા આખરે ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બંનેની લાશને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આ બંને મૃતકોની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક તબક્કે બંને હિંમતનગરના આકોદ્રા ગામના હોવાનું બહાર આવ્યું છે. પરંતુ બંનેની સાચી ઓળખ રાત્રે નવ વાગ્યા સુધી થઇ શકી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગાડીના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.




