Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News: રામમંદિર દાન ચોરી કેસમાં 8 આરોપીઓની મુશ્કેલી વધશે : ફોરેન્સિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા મંજૂરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અયોધ્યા: અયોધ્યા રામમંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આઠ આરોપીઓની મુશ્કેલી વધવાની શક્યતા છે. કેસના તપાસ અધિકારીએ ચોરી અંગેનો ફોરેન્સિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા તેમજ આરોપીઓની ફરી પૂછપરછ કરવાની મંજૂરી માગી હતી, જેને કોર્ટે મંજૂરી આપી છે.તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કથિત રીતે જપ્ત કરાયેલી રોકડ, સિક્કા, ઘરેણાં સહિતની વસ્તુઓ ફોરેન્સિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. તેનો રિપોર્ટ પોલીસને મળી ગયો છે. જોકે, પોલીસે હજુ સુધી રિપોર્ટની વિગતો જાહેર કરી નથી. તપાસ એજન્સીનું માનવું છે કે ફોરેન્સિક રિપોર્ટ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.બીજી તરફ, આરોપીઓ દ્વારા ધરપકડ, રિમાન્ડ અને જપ્ત કરાયેલી વસ્તુઓની રિકવરીને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. તમામ આઠ આરોપીઓ હાલમાં 18 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે તેમની જામીન અરજીઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના વિશેષ ન્યાયાધીશ રજત વર્મા સમક્ષ પેન્ડિંગ છે.