તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

શેરૂલા ગામે અજાણ્યા વાહન અડફેટે બાઈક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં શેરૂલા ગામથી લીંબી ગામ તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે આવતાં ભુરીવેલ ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ભુરીવેલ ગામના નિશાળ ફળિયામાં રહેતા કૃણાલભાઈ અશોકભાઈ ગામીત નાઓ ગત તારીખ 30/10/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/D/549 લઈને શેરૂલા ગામથી લીંબી ગામ તરફ જતા રોડ ઉપરથી પસાર થતો હતો. તે સમયે બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કૃણાલભાઈની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં કુણાલભાઈના માથાનાં ભાગે તથા મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે પહેલા સોનગઢ સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું અને ત્યારબાદ સુરત નિર્માણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા ગત તારીખ 02/11/2023નાં રોજ સારવાર દરમિયાન કુણાલભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ વંગે કુણાલભાઈની માતા અરુણાબેન અશોકભાઈ ગામીતની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.