Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શિક્ષણ થકી સશક્તીકરણ: 4.72 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ.646 કરોડની શિષ્યવૃત્તિ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વિવિધ યોજનાઓ હેઠળ રાજ્યના 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.646 કરોડની શિષ્યવૃત્તિનું DBT મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહિત રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં શિક્ષણનો મજબૂત પાયો નંખાયો હતો, જેના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રને નવી દિશા મળી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યનું શિક્ષિત અને તેજસ્વી યુવાધન મહત્વની ભૂમિકા ભજવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.