Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર: પંદરમી ગુજરાત વિધાનસભાનું નવમું એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સત્ર દરમિયાન ત્રણ બેઠકોમાં કુલ ૧૮ કલાક અને ૩૨ મિનિટ સુધી ગૃહની કામગીરી ચાલી હતી.સત્ર દરમિયાન રાજ્યના વિકાસ અને જનહિતને લગતા કુલ ૭ સરકારી વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા. વિવિધ ચર્ચાઓમાં કુલ ૫૨ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી દરમિયાન ૧,૩૫૬ તારાંકિત પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી ૨૯ પ્રશ્નો પર મૌખિક ચર્ચા થઈ હતી.સત્ર દરમિયાન જનજાતીય કલ્યાણ યોજના સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમાં વિવિધ સમિતિઓના અહેવાલો, સરકારી કંપનીઓ-બોર્ડ-કોર્પોરેશનના અહેવાલો તેમજ જલ જીવન મિશન અંગેનો CAG ઓડિટ અહેવાલ પણ રજૂ થયો હતો.

વિધાનસભાની કામગીરી અને લોકશાહી પ્રક્રિયા નિહાળવા રાજ્યભરમાંથી ૫,૨૪૬ પ્રેક્ષકોએ મુલાકાત લીધી હતી. સત્રની સફળતા બદલ પ્રવક્તા મંત્રી વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પક્ષ-વિપક્ષના ધારાસભ્યો અને સરકારી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.